
વૃંદાવન યોગ ફાઉન્ડેશન દ્વારા 15 ફેબ્રુઆરીના રોજ રામગઢિયા હોલ, ૮-૧૦ ચેપલટાઉન રોડ, લીડ્સ, LS7 ૩AP ખાતે મહા શિવરાત્રી પર્વની ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ગોપેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિઘિ કરવામાં આવી હતી.
એકતા અને શ્રદ્ધાથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું. પવિત્ર સાંજે સતત મંત્ર જાપ, અભિષેક વિધિઓ અને ભાવનાત્મક ભજનો સાથે તમામ ઉંમરના ભક્તો સામૂહિક પૂજામાં જોડાયા હતા.
આચાર્ય વ્રજ વિહારી શરણના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ પંડિત હરિદાસ અને પંડિત અમરીશ પાંડેએ સૌને પૂજા કરાવી હતી.
/* */
આયોજકોએ જણાવ્યું હતું કે આવા સામૂહિક ઉજવણી ધર્મને જીવંત રાખવા, સમુદાયના બંધનોને મજબૂત બનાવવા અને આગામી પેઢીને આધ્યાત્મિક મૂલ્યો પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભક્તોએ “હર હર મહાદેવ”ના નારા લગાવ્યા હતા.













