સનાતન હિન્દુ મંદિર વેલિંગબરો ખાતે ભક્તો દ્વારા મહા શિવરાત્રીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો એ ભગવાનના શિવલિંગનો અભિષેક કરી પૂજા – પ્રાર્થના કરી હતી. સવારે શિવ અભિષેકનું સંચાલન શાસ્ત્રીજી રાજેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે રાત્રે શિવ મહા રુદ્ર અભિષેક સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

WDHA વેલિંગબરોના આયોજકોએ ઉજવણીમાં ભાગ લેનાર તથા સાથ-સમર્થન આપવા બદલ તમામ યજમાન, ભક્તો અને સ્વયંસેવકોનો આભાર માન્યો હતો. સૌએ અભિષેક, પ્રાર્થના અને પ્રસાદનો લાભ લીધો હતો. ઉપસ્થિત સૌએ શ્રદ્ધા અને આનંદ વ્યક્ત કરા “હર હર મહાદેવ”ના નારા લગાવ્યા હતા.

LEAVE A REPLY