(ANI Photo)

અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રેસિડન્ડ ટ્રમ્પની વૈશ્વિક રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે જાહેર કર્યા પછી મુખ્ય વિપક્ષ કોંગ્રેસે માગણી કરી હતી કે સરકારે અમેરિકા સાથેની વચગાળાની વેપાર સમજૂતીને હાલ પૂરતી મોકૂફ રાખવી જોઇએ અને ટ્રેડ ડીલની નવી શરતો માટે ફરી વાટાઘાટો કરવી જોઇએ. કોંગ્રેસે એવું પણ કહ્યું હતું કે ભારતે ટ્રેડ ડીલ કરતાં પહેલાં અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવાની જરૂર હતી.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે સરકારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે પુનઃવાટાઘાટો દરમિયાન ભારતીય ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય. ભારત સાથેનો વેપાર કરાર યથાવત છે તેવા ટ્રમ્પના નિવેદનનો ઉલ્લેખ કરીને તેમણે સવાલ કર્યો હતો કે શું મોદી આ અંગે ટ્રમ્પ સાથે સંમત છે. મોદી કેમ ચુપ છે. ભારત-અમેરિકા વચગાળાના કરારથી ભારતીય ખેડૂતો પર પ્રતિકૂળ અસર પડશે અને તેમની આજીવિકા જોખમમાં મુકાશે. સરકારે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી આ કરારને મુલતવી રાખવો જોઈએ અને આ કરાર પર ફરીથી વાટાઘાટો કરવી જોઇએ.

LEAVE A REPLY