પ્રતિક તસવીર

ઇંગ્લેન્ડના સૌથી વૈવિધ્યસભર શહેરોમાંના એક લેસ્ટરની શેરીઓમાં 2022માં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પછી થયેલી હિંસક સાંપ્રદાયિક અથડામણો અંગેના એક નવા રિપોર્ટમાં સમુદાયો વચ્ચે સંબંધો સુધારવા માટે કાયમી કોમ્યુનિટી યુનીટી ફોરમ બનાવવાની હાકલ કરવામાં આવી છે.

લેસ્ટર પ્રોજેક્ટ રિસર્ચ ટીમ દ્વારા પ્રકાશિત અને માનવ અધિકાર નિષ્ણાત પ્રોફેસર જુઆન મેન્ડેઝની અધ્યક્ષતામાં ‘બેટર ટુગેધર: અન્ડરસ્ટેન્ડિંગ ધ 2022 વાયોલન્સ ઇન લેસ્ટર’ નામના રીપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે ભડકેલી અશાંતિ માટે કોઈ એક સમુદાય જવાબદાર નથી. તેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે ભારતીય વારસાના સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક અથડામણો મજબૂત, સ્થિતિસ્થાપક અને સંયુક્ત સમુદાયો બનાવવા માટે રાષ્ટ્રીય સ્તરે સંસાધિત અને સ્થાનિક રીતે જવાબદાર અભિગમોની તાકીદ જરૂરી છે.

અહેવાલમાં જણાવાયું હતું કે “હિંસાનું સાંપ્રદાયિક પરિમાણ સ્પષ્ટ હતું, જેમાં મુસ્લિમોને ‘પાકિસ્તાની’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જોકે લેસ્ટરમાં વસતા મોટાભાગના સાઉથ એશિયન મુસ્લિમો ભારતીય મૂળના છે. હિન્દુ રાષ્ટ્રવાદી અને રાજકીય ઇસ્લામિક બંને તત્વો “રાજકીય હેતુઓ માટે વિભાજનને ભડકાવવા માટે સક્રિયપણે પ્રયાસ કરવા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું.

/* */

અહેવાલમાં જણાવાયું છે કે “ફરજના ભાગ રૂપે, લેસ્ટર સિટી કાઉન્સિલે સમર્પિત ભંડોળ દ્વારા સામુદાયીક એકતા અને સ્થિતિસ્થાપકતા પર કાયમી મંચ સ્થાપિત કરવો જોઈએ. બધા સમુદાયોમાં સંબંધો સુધારવા માટે સંયુક્ત પહેલ વિકસાવવી જોઈએ. ફોરમે તણાવના પ્રારંભિક સંકેતો ઓળખવા જોઈએ અને સંબંધિત પગલાં લેવા જોઈએ.”

આ સંશોધનમાં પણ ખોટી માહિતી અને અફવાઓ કટોકટીના મુખ્ય પ્રેરક હતા અને તત્વોએ હિંસા માટે અન્ય લોકોને દોષી ઠેરવતા ખોટા વર્ણનોને પ્રોત્સાહન આપ્યું હતું.

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE) ના સમાજશાસ્ત્રના પ્રોફેસર ચેતન ભટ્ટ, સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS) ના ડૉ. સુબીર સિંહા અને વિદ્વાન લિસા મેગરેલ સહિત સંશોધન પેનલે સ્વતંત્ર અને વ્યાપક તપાસ કરવાનો દાવો કર્યો છે.

મે 2023 માં, તત્કાલીન કન્ઝર્વેટિવ સરકારે લેસ્ટરમાં થયેલા અથડામણોની સ્વતંત્ર સમીક્ષા સોંપી હતી. ધ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ, કોમ્યુનીટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટે કહ્યું હતું કે તે ચોક્કસ સમીક્ષાના તારણોની સમીક્ષા કરી રહ્યું છે.

LEAVE A REPLY