નવી બની રહેલી ગુજરાતી ફિલ્મોને છેલ્લા કેટલાક વર્ષોથી અર્બન ગુજરાતી સિનેમા તરીકે ઓળખ મળી છે. ગુજરાતી ફિલ્મો અત્યારે તેના સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહી છે. એક સમયે ગુજરાતી ફિલ્મો માત્ર ગાડુ, ગામડું, ગ્રામ્ય સંસ્કૃતિ, લોકકથાઓ કે પૌરાણિક કથાઓ કેન્દ્રિત હતી. પરંતુ છેલ્લા એક દસકાથી આ વિચારમાં પરિવર્તન આવ્યું છે. હવે પારિવારિક ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થઇ રહ્યું છે.

‘લવની ભવાઈ’ જેવી જાણીતી ફિલ્મોનું નિર્માણ કરનારા દિગ્દર્શક સંદીપ પટેલે યુવા કલાકારો મલ્હાર ઠાકર અને આરોહી પટેલ સાથે રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘લગન લાગી રે’ રજૂ કરી છે. આ ફિલ્મની સ્ટોરી મુખ્યત્વે ત્રણ પાત્રોની આસપાસ કેન્દ્રિત છે. જેમાં મલ્હાર ઠાકર એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની ભૂમિકામાં છે, જેનો નિર્દોષ અંદાજ દર્શકોના દિલ જીતી લે છે.

બીજી તરફ, આરોહી પટેલનું પાત્ર ‘યુનિવર્સ’ અને નસીબના સંકેતોમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ત્રીજું મહત્વનું પાત્ર તત્સત મુનશીનું છે, જે પોતાના સપનાઓ પાછળ દોડતો યુવાન છે. જ્યારે આ ત્રણેયના માર્ગ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે રોમેન્ટિક-કોમેડી શરૂ થાય છે.

/* */

આ ફિલ્મમાં મલ્હારનો એકતરફી પ્રેમ અને આરોહીનો કુદરત પરનો વિશ્વાસ વાર્તાને રસપ્રદ બનાવે છે. આ ફિલ્મના અન્ય કલાકારોમાં આરતી પટેલ, રાગી જાની, હેમાંગ દવે અને નિસર્ગ ત્રિવેદીનો સમાવેશ થાય છે. ફિલ્મ: “લગન લાગી રે” – Overall ભાવ“લગન લાગી રે” એ માત્ર એક લવ સ્ટોરી નથી,પણ ગ્રામ્ય સંસ્કૃતિ, લાગણી, લોકસંગીત અને આધુનિક રજૂઆતનો સુમેળ છે.

LEAVE A REPLY