(ANI Photo)

ટી-20 વર્લ્ડ કપ પુરો થયા પછી ભારતમાં સૌથી લોકપ્રિય આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાવાની છે અને આ વર્ષે પણ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના કારણે વધુ એક વખત આઈપીએલના કાર્યક્રમમાં ફેરફાર થવાની શક્યતા છે.

અગાઉ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આ વર્ષે આઈપીએલનો આરંભ 26 માર્ચે થવાનો છે, પણ પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પુડુચેરી, કેરળ અને આસામમાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત પણ થઈ ચૂકી છે, તેના કારણે આઈપીએલના કાર્યક્રમમાં થોડો ફેરફાર થવાની શક્યતા છે. જો કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે હજી આ બાબતે નિર્ણય લીધો નથી, હવે આગામી થોડા દિવસોમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

ચૂંટણી થવાની છે તેવા ત્રણ રાજ્યો – તામિલનાડુના ચેન્નાઈ, પશ્ચિમ બંગાળના કોલકાતા અને આસામના બારસાપારામાં આઈપીએલની મેચો રમાવાની છે અને તેના કારણે તેના કાર્યક્રમમાં ફેરફાર થવાની શક્યતા છે.

LEAVE A REPLY