આટલાન્ટામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના સીનિયર અધિકારીઓએ મીડિયાને ભારતીય સમુદાય સંબંધિત ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) સર્વિસ વિશે વિવિધ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેટલીક ચિંતાજનક બાબતોનો ઉલ્લેખ કરી સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું અને સમુદાયને સચોટ માહિતીને ધ્યાનમાં લેવા વિનંતી કરી હતી. આ માહિતી અને માર્ગદર્શન 2015 બેચના ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ અને ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી શ્રીજન શાંડિલ્ય, વાઇસ કોન્સ્યુલ (OCI) અને CPIO શિવમ સિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. કોન્સ્યુલ જનરલ રમેશ બાબુ લક્ષ્મણન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિત્તે અધિકારીઓ દ્વારા વ્યવહારુ માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓએ અરજદારોને થયેલા અનુભવો અને સમસ્યાઓનું વર્ણન કર્યું હતું. અધિકારીઓએ ખોટી માહિતીનો પ્રસાર ન થાય તેના પર ભાર મૂક્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકો અધિકૃત સ્ત્રોતોને બદલે અનૌપચારિક માહિતી પર આધાર રાખતા હોવાથી OCI સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી થાય છે.
અધિકારીઓએ OCI નિયમોને પણ સરળ બનાવ્યા. તેમણે સ્પષ્ટતા કરી કે, ફક્ત ચોક્કસ પરિસ્થિતિમાં જ OCI ફરીથી ઇસ્યુ કરવાની જરૂરી પડે છે, નિયમિત પ્રવાસ માટે તેની જરૂર નથી.