
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલનું રવિવાર, 11 એપ્રિલે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતાં. એક દિવસે પહેલા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ તેમના કરોડો ચાહકો અને બોલિવૂડ જગતમાં શોકની ઘેરી લાગણી ફેલાઈ ગઈ હતી.
8 સપ્ટેમ્બર, ૧૯૩૫ના રોજ સાંગલી (મહારાષ્ટ્ર)માં જન્મેલા આશાને તેમના પિતા દીનાનાથ મંગેશકરે સંગીતની દીક્ષા આપી હતી, સંગીત કદાચ તેના ભાગ્યમાં હતું. ચાર બહેનોમાંથી લતા, ઉષા અને આશા પ્લેબેક સિંગર બન્યાં હતા, જ્યારે મીના એક સંગીતકાર બન્યાં હતાં. તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર પણ સંગીતકાર છે.
તેમણે ૧૯૪૯માં ૧૬ વર્ષની ઉંમરે ગણપતરાવ ભોંસલે સાથે લગ્ન કર્યા હતાં અને પછીના જીવનમાં તેમણે સહયોગી અને સંગીતકાર આર. ડી. બર્મન સાથે લગ્ન કર્યા હતાં, તેમના પરિવારમાં તેમનો પુત્ર આનંદ અને પૌત્ર-પૌત્રીઓ છે.
આઠ દાયકા લાંબી કારકિર્દીમાં આશાએ 12,000 ગીતો રેકોર્ડ કર્યા છે. તેમણે પહેલું ગીત 1943માં 10 વર્ષની ઉંમરે મરાઠી ફિલ્મ “માઝા બાલ” માટે ગાયું હતું. તેમણે 2010ના દાયકાના અંત સુધી અને તે પછી પણ ગાવાનું ચાલુ રાખ્યું હતું. જેના કારણે તેઓ વૈશ્વિક સંગીત ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ગાયિકા બન્યાં હતાં.
આશાના સૌથી લોકપ્રિય ગીતોમાં “અભી ના જાઓ છોડ કર”, “અંખો કી મસ્તીમાં”, “દિલ ચીઝ ક્યા હૈ”, “પિયા તુ અબ તો આજા’, દુનિયા મેં લોગોં કો’ અને જારા સે ઝૂમ લૂન મેં’ સહિતના ગીતોનો સમાવેશ થાય છે. તેઓ મીના કુમારી, મધુબાલા, ઝીનત અમાનથી લઈને કાજોલ, ઉર્મિલા માતોંડકર અને પદ્મિની અને વૈજયંતિમાલા જેવી અભિનેત્રીઓના અવાજ બન્યાં હતાં.
આશા ભોંસલેના અવાજની એવી તે મીઠાશ રહી છે કે તેમના ગીતો આજે પણ લોકોના હોઠે ગુંજે છે. તેમની પ્રારંભિક સફર મુશ્કેલ હતી. તેમણે માત્ર 9 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેથી તેમના અને બહેન લતા મંગેશકરના માથે ઘરના ગુજરાનની જવાબદારી આવી હતી.
આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરે પરિવારની ઇચ્છા ન હોવા છતાં પણ લતા મંગેશકરના સેક્રેટરી ગણપતરાવ ભોંસલે સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતાં. તેમના આ નિર્ણયથી નારાજ થયેલા લતાજીએ આશાજી સાથેના સંબંધો પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું.
આશા ભોંસલેએ ગુજરાતી ફિલ્મો અને ગરબાઓમાં અનેક સદાબહાર ગીતો ગાયા છે, જેમાં “માડી તારું કંકુ ખર્યું”, “સોના વાટકડી”, અને “છેલાજી રે” સૌથી લોકપ્રિય છે. અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશનમાં તેમણે ‘મેંદી તે વાવી માળવે’ જેવા અવિસ્મરણીય ગીતો આપ્યા છે.














