
સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર આશા ભોંસલનું રવિવાર, 11 એપ્રિલે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતી. એક દિવસે પહેલા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ તેમના કરોડો ચાહકો અને બોલિવૂડ જગતમાં શોકની ઘેરી લાગણી ફેલાઈ ગઈ હતી.
આશા ભોંસલેના અવાજની એવી તે મીઠાશ રહી છે કે તેમના ગીતો આજે પણ લોકોના હોઠે ગુંજે છે. તેમની સંગીતની કારકિર્દીમાં અંદાજે 12,000થી વધુ ગીતોને સ્વર આપ્યો છે. જોકે તેમની સફર દેખાઈ તે છે તેટલી સરળ નથી રહી. તેમણે જિંદગીમાં માત્ર 9 વર્ષની ઉંમરે તેમના પિતાની છત્રછાયા ગુમાવી હતી અને ત્યારબાદ તેમના અને બહેન લતા મંગેશકરના માથે ઘરના ગુજરાનની જવાબદારી આવી હતી.
જોકે આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરે તેમણે પરિવારની ઇચ્છા ન હોવા છતાં પણ લતાજીના સેક્રેટરી ગણપતરાવ ભોંસલે સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. જો તેમના આ નિર્ણયથી નારાજ થયેલા લતાજીએ આશાજી સાથેના સંબંધો પણ પૂર્ણવિરામ લગાવી દીધું હતું. જો કે તેની આગળનું જીવન આશાજી માટે કપરા ચઢાણ સમું બની રહ્યું હતું અને કંટાળીને જીવનથી જ હાર પણ માની લીધી હતી.
આશા ભોંસલેએ ગુજરાતી ફિલ્મો અને ગરબાઓમાં અનેક સદાબહાર ગીતો ગાયા છે, જેમાં “માડી તારું કંકુ ખર્યું”, “સોના વાટકડી”, અને “છેલાજી રે” સૌથી લોકપ્રિય છે. અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશનમાં તેમણે ‘મેંદી તે વાવી માળવે’ જેવા અવિસ્મરણીય ગીતો આપ્યા છે.













