રાષ્ટ્રપતિ
રાજકોટમાં સોમવાર, 13 એપ્રિલે AIIMS રાજકોટના પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ પણ હાજર રહ્યાં હતાં. (Office of Press Secretary to the President /ANI Photo)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 13-14 એપ્રિલે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યાં હતાં. ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) રાજકોટ અને ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરી હતી.

રાજકોટના કાર્યક્રમ દરમિયાન 2020માં પ્રવેશ મેળવનાર MBBS વિદ્યાર્થીઓની પ્રથમ બેચને ડિગ્રી એનાયત કરાઈ હતી. કુલ 49 વિદ્યાર્થીઓને MBBS ડિગ્રી અને એક વિદ્યાર્થીને વાયરોલોજીમાં પોસ્ટ-ડોક્ટરલ પ્રમાણપત્ર એનાયત કરાઈ હતી. ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત કુલ ૧૦ મેડલ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતાં.

ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત કુલ ૧૦ મેડલ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતાં.
સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ અને ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ હાજરી આપી હતી.

ગુજરાત મુલાકાતના બીજા દિવસે તેમણે ગાંધીનગરમાં લોક ભવન (રાજ્યપાલનું ઘર) ખાતે ડૉ. બી. આર. આંબેડકરની જન્મજયંતિ પર ‘સામાજિક સમરસતા મહોત્સવ’ને સંબોધતા મુર્મુએ કહ્યું કે જાતિ વ્યવસ્થા ભૂતકાળની બાબત છે અને લોકોએ હવે એક સમાજ તરીકે આગળ વધવું જોઈએ. જાતિ વ્યવસ્થા બનાવનારાઓ હવે રહ્યા નથી. આપણે સાથે મળીને આગળ વધવું જોઈએ અને સામાજિક સંવાદિતાને મજબૂત બનાવવી જોઈએ.

14 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ યુનિવર્સિટી ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે.આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યે લવાડ ગામ નજીક યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાશે. RRU એ ‘રાષ્ટ્રીય મહત્વની સંસ્થા’ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગરમાં લોક ભવન (રાજ્યપાલનું ઘર) ખાતે રોકાશે.