ગાંધી જયંતીના અવસરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થઇને પૂજ્ય બાપુને ભાવસભર અંજલિ આપી હતી.
મુખ્યપ્રધાને પ્રાર્થના સભા બાદ કિર્તિ મંદિર ખાતેથી ‘સ્વચ્છતા યાત્રા’નો પ્રારંભ પણ કરાવ્યો હતો. અહીં તેમણે પોરબંદર- છાયા નગરપાલિકાના રૂ. ૬.૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડીંગ અને રૂ. ૪.૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત ચિલ્ડ્રન હોમનું પણ લોકાર્પણ કર્યું હતું. આ નિમિત્તે કૃષિ પ્રધાન રાઘવજીભાઇ પટેલ, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયા, પોરબંદરના લોકસભાના સાંસદ રમેશભાઇ ધડુક, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.