પ્રતિક તસવીર (Photo credit NARINDER NANU/AFP/Getty Images)

થોડાં વરસ પૂર્વે તેમની ભારતયાત્રા દરમિયાન અમૃતસરનાં સુવર્ણ મંદિરની મુલાકાત વખતે તેમને બૂટ કાઢવા જ પડે, પરંતુ મોજાં પણ ન પહેરે તો સારું એવી સલાહ અપાઇ હતી. પરંતુ છેવટે તેમણે પોતાનું ધાર્યું કરીને સફેદ મોજાં પહેરી મંદિરની અડધી પરિક્રમા કરી હતી.

ખૂબ જ શિસ્ત પાળનારા રાણી ક્યારેક જક્કી વલણ દાખવે છે. મહારાણી ઍલિઝાબેથ વિદેશયાત્રાએ નીકળતા ત્યારે સાથે આઉટ ફેશન થયેલા વસ્ત્રો, મોટા કદની હેન્ડબેગો, હોમિયોપેથિક દવાઓ, બ્રેકફાસ્ટ માટે ઈંગ્લીશ સ્ટાઈલના નાની કદની બ્રેડ, ચા અને સોસેજ સાથે લેતાં જતા. તેમના પડછાયાની જેમ  પતિ પ્રિન્સ ફિલિપ હંમેશા સાથે રહેતા.