Piyush Goyal and Anne-Marie
(ફાઇલ ફોટો) નવી દિલ્હીમાં 13 જાન્યુઆરે ભારત અને યુકે વચ્ચેની મુક્ત વેપાર સમજૂતીના પ્રારંભ વખતે ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને યુકેના તત્કાલિન આંતરરાષ્ટ્રીય વેપાર પ્રધાન એની-મેરીટ્રાવેલિને અભિનંદન આપ્યા હતા.(ANI Photo)

યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની વિઝા ઓવરસ્ટેયર્સ અંગેની ટિપ્પણીથી ભારત સરકારમાં રોષ છે અને તેથી ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ની મંત્રણા “પતનની આરે” છે, એવો યુકેના એક મીડિયા અહેવાલમાં બુધવારે દાવો કરવામાં આવ્યો હતો.

સરકારી સૂત્રોને ટાંકીને ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે નવી દિલ્હીના પ્રધાનોને બ્રેવરમેનની “અનાદરપૂર્ણ” ટિપ્પણીથી “આઘાત લાગ્યો છે અને નિરાશ” થયા છે. બ્રેવરમેને કહ્યું હતું કે તેમને FTAના ભાગ રૂપે ભારતને “ખુલ્લી સરહદો” ઓફરની ચિંતા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સન દ્વારા નક્કી કરવામાં આવેલા કરાર માટે દિવાળીની સમયમર્યાદાને પહોંચી વળવાની સંભાવના હવે ઓછી થઈ રહી હોવાનું માનવામાં આવે છે.

અખબારે એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે “હજુ પણ ઘણી સદ્ભાવના છે, પરંતુ જો અમુક વ્યક્તિઓ હજુ પણ (યુકે) સરકારમાં એમ્બેડ કરવામાં આવશે તો તે વાટાઘાટો અટકી પડશે,”

‘પોલિટિકો’ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિવાળી દરમિયાન FTA પર હસ્તાક્ષર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુકેની મુલાકાતની યોજના પણ હવે આગળ વધવાની શક્યતા નથી.

ગયા અઠવાડિયે ભારતીય મૂળના હોમ સેક્રેટરીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને ડર છે કે ભારત સાથેની વેપાર સમજૂતીથી યુકેમાં માઇગ્રેશન વધશે. ભારતીયો પહેલાથી જ વિઝા ઓવરસ્ટેયર્સના સૌથી મોટા જૂથનું પ્રતિનિધિત્વ કરે છે.

બ્રેવરમેને ‘ધ સ્પેક્ટેટર’ સાપ્તાહિક ન્યૂઝ મેગેઝિનને જણાવ્યું હતું કે, “ભારત સાથે ખુલ્લી સરહદોની માઇગ્રેશન પોલિસી રાખવા અંગે મને ચિંતા છે, કારણ કે મને નથી લાગતું કે લોકોએ બ્રેક્ઝિટ માટે મત આપ્યો છે.”

ભારત-યુકે એફટીએ હેઠળ વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો માટે વિઝા ફ્લેક્સીબિલિટી વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું: “પરંતુ મને કેટલાક વાંધા છે. આ દેશમાં માઇગ્રેશન જુઓ – લોકોનું સૌથી મોટું જૂથ, જેઓ વધારે રોકાણ કરે છે, તે ભારતીય ઇમિગ્રેન્ટ્સ છે.”

LEAVE A REPLY

one × 2 =