Getty Images)

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે જ્યારથી જ આત્મહત્યા કરી લીધી ત્યારથી બોલિવૂડમાં ઘણી નવા જૂની થઈ રહી છે. કરણ જોહર વારંવાર ટ્રોલ થતો રહ્યો છે અને સુશાંતના ફેન્સે તેને જબરો નિશાને લીધો છે. નેપોટિઝમના નામ પર બીજા ઘણા લોકો પણ પણ ફેન્સ ગુસ્સે છે અને ગાળો ભાંડી રહ્યા છે. પરંતુ કરણ જોહરને હાલમાં સૌથી વધારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આટલા ટ્રોલિંગ કર્યા બાદ કરણ પુરી રીતે તૂટી તૂક્યો છે અને રડી રહ્યો છે. હાલમાં આ વિશે તેના નજીકના એક મિત્રએ ખુલાસો કર્યો છે.

સોશિયલ મીડિયા પર મીડિયા હંમેશાં એક્ટિવ રહેનાર ફિલ્મ નિર્માતા કરણ જોહરે સુશાંતના મૃત્યુ પછીથી તેના ઇન્સ્ટાગ્રામ પર એક પણ પોસ્ટ શેર કરી નથી. તે જ સમયે ઘણા લોકોએ તેમને સોશિયલ મીડિયા પરથી અનફોલો કરી નાંખ્યા છે. હવે બોલિવૂડના એક અહેવાલ મુજબ કરણ જોહરના ખાસ મિત્રએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું, ‘કરણ જોહર સંપૂર્ણ રીતે તૂટી ગયો છે.

તે ક્યારેય ટ્રોલરની ચર્ચાથી આટલો પ્રભાવિત થયો નથી, જેટલો સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી થયો છે. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગથી તેમના સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ છે.આ અહેવાલ મુજબ કરણ જોહરના મિત્રએ કહ્યું કે કરણ એક એવી વાતથી પણ વધુ નારાજ છે કે તેની સાથે સંકળાયેલા લોકો પર પણ હુમલો થઈ રહ્યો છે. તેના 3 વર્ષના જોડિયા બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. અનન્યા પાંડે જેવા લોકો સામે નફરત ફેલાઈ રહી છે.