આસામમાં નાગરિકતા સુધારા ધારાની વિરોધમાં પ્રદર્શન થયા હતા તે સમયની ફાઇલ તસવીર (ANI Photo)

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે સોમવાર વિવાદાસ્પદ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના અમલ માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ ધારા હેઠળ પ્રથમ વખત ભારતની નાગરિકતા માટે ધર્મને એક આધાર બનાવવામાં આવ્યો છે અને તેને મુસ્લિમ વિરોધ ગણવામાં આવે છે. ડિસેમ્બર 2019માં હિંસક વિરોધ વચ્ચે સંસદને આ ધારાને મંજૂરી આપી હતી, જોકે નિયમોના અભાવે તેનો અમલ થયો ન હતો. અગાઉ ધારા સામેના વિરોધમાં આશરે 100 લોકોના મોત થયાં હતા અને વિરોધ પક્ષોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો.

સંસદની મંજૂરીના ચાર વર્ષ પછી હવે નોટિફિકેશન બહાર પડાયું છે. સરકાર 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમોને ભારતની નાગરિકતા આપશે. આ ધારા હેઠળ આ ત્રણેય દેશોના મુસ્લિમોને દેશની નાગરિકતા મળશે નહીં.

2019ની લોકસભાની ચૂંટણી અને વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભાજપે આ ધારાના અમલને એક મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. 2024ની લોકસભા ચૂંટણીના થોડા અઠવાડિયા હવે તેનું નોટિફિકેશન જારી કરાયું છે.
આ ધારાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ગેરકાયદે ભારતમાં આવેલા મુસ્લિમ સિવાયના ધર્મના લોકોને ભારતની નાગરિકતા આપવાની પ્રક્રિયા ઝડપી બનશે. સંસદે ડિસેમ્બર 2019માં CAAને બહાલી આપી હતી. જોકે અમલ માટેના નિયમોના અભાવે આ કાયદાનો અત્યાર સુધી અમલ થઈ શક્યો ન હતો.

મોદી સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા બિન-મુસ્લિમો એટલે કે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે. 31 ડિસેમ્બર, 2014 ભારતમાં આવેલા આવા લોકોનો નાગરિકતા મળશે.

સીએએને સંસદની બહાલી મળ્યા પછી દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતાં. વિરોધ પ્રદર્શન દરમિયાન અથવા પોલીસ કાર્યવાહીમાં 100થી વધુ લોકોના મોત થયાં હતાં.

અગાઉ એક અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારતમાં પ્રવેશ્યાનું વર્ષ જાહેર કરવું પડશે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજ માંગવામાં આવશે નહીં.

અગાઉ 27 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકશે નહીં, કારણ કે તે દેશનો કાયદો છે. તેમણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર આક્ષેપ કર્યો હતો. મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી શરૂઆતથી જ CAAનો વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે CAA લાગુ કરવાનું વચન આપ્યું હતું

LEAVE A REPLY

3 × three =