Getty Images)

અમદાવાદમાં સોમવારે 321 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહી છે. જેની સાથે જ અમદાવાદ જિલ્લામાં કોરોના સામે ડિસ્ચાર્જ થનારાઓની સંખ્યા 10130 થઇ ગઇ છે.સૌથી વધુ ડિસ્ચાર્જ કરાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ બાદ ગુજરાત ત્રીજા સ્થાને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 321 સહિત કોરોનામાંથી ડિસ્ચાર્જ થનારાઓની સંખ્યા હવે 13964 થઇ ગઇ છે.

આમ, દેશના જે રાજ્યોમાં સૌથી વધુ વ્યક્તિ ડિસ્ચાર્જ થઇ હોય તેમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 40975, તામિલનાડુમાંથી 17527, ગુજરાતમાંથી 13964 અને દિલ્હીમાંથી 17712 વ્યક્તિ કોરોનામાંથી ડિસ્ચાર્જ થયેલી છે. અમદાવાદ શહેરમાં 31 મે સુધીમાં ડિસ્ચાર્જ થનારાઓની કુલ સંખ્યા 7100 હતી. જે 8 જૂનના સવાર સુધી વધીને 10001 થઇ ગઇ છે. આમ, જૂનના 8દિવસમાં 2900 વ્યક્તિ અમદાવાદ શહેરમાંથી કોરોનાને હરાવવામાં સફળ રહી છે.