અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના સંકલમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં ઓછામાં ઓછા પાંચ એમબીબીએસ વિદ્યાર્થીઓ, એક પીજી રેસિડેન્ટ ડોક્ટર અને એક સુપરસ્પેશિયાલિસ્ટ ડોક્ટરની પત્નીના મોત થયા હતા અને ૬૦થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં, એમ ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (એફઆઈએમએ)એ જણાવ્યું હતું.
FAIMAના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડૉ. દિવ્યાંશ સિંહે જણાવ્યું હતું કે ક્રેશ સ્થળ પર શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે અને ઘણા લોકો કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. જે મૃતદેહો મળી આવ્યા છે તે સંપૂર્ણપણે બળી ગયા હતાં. પ્લેન ક્રેશ થયું ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરો બપોરના ભોજન માટે ત્યાં હાજર હતા. અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં થયેલા દુ:ખદ જાનહાનિ પર ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
