(PTI Photo)

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર, રશિયાના પ્રેસિડન્ટ પુતિન, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુ, મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ અને નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે દુઃખ અને આઘાત વ્યક્ત કર્યો હતો.

૨૪૨ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી અમદાવાદના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનાને હૃદયદ્રાવક ગણાવી હતી અને કહ્યું હતું કે તેનાથી આપણે સ્તબ્ધ અને દુઃખી છીએ.તેઓ મંત્રીઓ અને અન્ય અધિકારીઓના સંપર્કમાં છે જેઓ અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદનાઓ તેનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે.

વિમાન દુર્ઘટના અંગે યુકેના વડાપ્રધાન કેર સ્ટારમરે દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ભારતીય શહેર અમદાવાદમાં ઘણા બ્રિટિશ નાગરિકોને લઈને લંડન જતું વિમાન ક્રેશ થયું હોવાના દ્રશ્યો ખૂબ જ ભયાનક છે. મને સતત અપડેટ આપવામાં આવી રહ્યા છે, અને આ ખૂબ જ દુઃખદના સમયે મારી સંવેદના મુસાફરો અને તેમના પરિવારો સાથે છે. ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ સોશિયલ મીડિયા પર અસરગ્રસ્તો પ્રત્યે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY