Air India will recruit more than 1,000 pilots

એર ઈન્ડિયાને કેટલાંક લાંબા અંતરના મહત્ત્વના માર્ગો પર સંચાલિત ફ્લાઈટ્સ પર સલામતી સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ એક કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, એમ ભારતની ઉડ્ડયન નિયમનકારે સંસ્થાએ બુધવારે જણાવ્યું હતું. આ મામલો ભાડાપટ્ટે રાખવામાં આવેલા વિમાન સંબંધિત છે. તેમાં વિમાન ઉત્પાદક કંપનીએ નિર્ધારિત કરેલી મર્યાદાનું પાલન થયું ન હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલો પાયલોટે નોન-સ્ટોપ બેંગલુરુ-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ ચલાવવાનો ઇનકાર કરવાનો છે તે સંબંધિત છે. આ ફ્લાઇટમાં પૂરતો ઇમરજન્સી ઓક્સિજન ન હતો

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જણાવ્યું હતું કે એરલાઇનના એક કર્મચારીએ સ્વૈચ્છિક રીતે નિયમોના ઉલ્લંઘન અંગે ફરિયાદ કર્યા પછી તપાસ ચાલુ કરાઈ હતી. તપાસમાં એરલાઇન દ્વારા નિયમોનું પાલન ન થયું હોવાનું બહાર આવ્યું હતું. આ પછી કારણ બતાવો નોટિસ અને આખરે પેનલ્ટી લાદવામાં આવી હતી. એરલાઇન દ્વારા તેની નોટિસના જવાબના આધારે DGCAએ એર ઇન્ડિયા પર ₹1.1 કરોડનો દંડ લાદ્યો હતો.

એક સપ્તાહમાં બીજી વખત એર ઈન્ડિયાને DGCAએ પેનલ્ટી ફટકારી છે. ગયા ગુરુવારે એર ઈન્ડિયાને ધુમ્મસને કારણે ફ્લાઇટમાં વિલંબ અંગેની પૂર્વતૈયારી ન હોવા બદલ ₹30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

 

LEAVE A REPLY

16 − 10 =