Getty Images)

સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના સ્ટાર પુત્ર અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ હોવાથી તેઓને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવેઅમિતાભ બચ્ચનની પુત્રવધુ તથા અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન તથા તેમની પૌત્રી આરાધ્યાને આજે રાતે 8 વાગ્યાના સુમારે કોરોના પોઝિટિવને લીધે હળવો તાવ આવતા નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

અમિતાભની પત્ની જયા બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા નંદા તથા તેમના બે બાળકો તેમના જલસા નિવાસ સ્થાને છે. શનિવાર 11 જુલાઈના રોજ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોનાના સપાટામાં આવ્યા બાદ તેમને રાતે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારે તેમણે તેમના પરિવારજનો, સ્ટાફ તેમ જ તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી હતી.

આમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન કોરોના પોઝિટિવના ટેસ્ટ કરાવ્યા હતા. ત્યાર બાદ તેમને હોમ ક્વોરન્ટીન કરાયા હતા. પરંતુ તેમને અચાનક આજે ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

હોમ ક્વોરન્ટીન કરતાં હોસ્પિટલમાં ઐશ્વર્યા અનેઆરાધ્યાને સારી સારવાર મળી રહેશે એટલે સાવચેતીના પગલા તરીકે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે, એવું ચર્ચાતું હતું. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્ય બચ્ચનને હળવો તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જે બાદ તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.