ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર શનિવારે દિવાળીની પૂર્વ સંધ્યાએ 10,000 થી વધુ દીવાથી ઝળહળી ઉઠ્યું હતું. REUTERS/Amit Dave

ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર શનિવારે દિવાળીની પૂર્વ સંધ્યાએ 10,000 થી વધુ દીવાથી ઝળહળી ઉઠ્યું હતું. જીવનને દિવ્ય બનાવવાનો સંદેશ આપતા ધર્મ, સંયમ, સત્ય, દયા, અહિંસા, વૈરાગ્ય, જ્ઞાન, ત્યાગ અને પરમાત્માની ભક્તિના નામે દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

સ્વામિનારાયણ અક્ષરધામ દ્વારા સતત 31 વર્ષથી પરંપરાગત શૈલીમાં 1000 દીવા પ્રગટાવીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. મુલાકાતીઓ 12 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી સાંજે 6 વાગ્યાથી 7:45 વાગ્યાની વચ્ચે સુંદર રીતે પ્રકાશિત અક્ષરધામના સાક્ષી બની શકશે. સોમવારે, પ્રદર્શન હોલ અને વોટર શો સહિત અક્ષરધામના તમામ આકર્ષણો મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે.

દિવાળી પર્વની પ્રસંગે દેશ અને વિદેશોમાં આવેલાં તમામ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરોમાં દીપોત્સવ પર્વની ઉજવણી શરૂ થઈ હતી. હજારો દીપ પ્રજ્વલીત થતાં અક્ષરધામ પરિસર જ્યોતના પ્રકાશથી ઝગમગી ઊઠ્યો હતો. દીવડાઓની રોશની જોઈને ધન્યતા અનુભવી હતી. મુલાકાતીઓ ૧૯ નવેમ્બર સુધી આ દિવ્ય દૃશ્યના સાક્ષી બની શકશે. મંદિરમાં દર્શન કરનારા ભક્તોએ જણાવ્યું હતું કે અહીં તેમણે એક અનોખો જ દિવ્ય અનુભવ કર્યો હતો.

LEAVE A REPLY

10 + 20 =