Aliya Bhatt
(Photo by Pascal Le Segretain/Getty Images)

બોલીવૂડની જાણીતી જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઘણા લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં છે તે જગજાહેર છે. તેમના લગ્ન અંગે અનેક વાતો બહાર આવે છે પરંતુ તેમાં પછી કંઇ આગળ થતું નથી. તેમના લગ્નની તારીખ વારંવાર બદલાયા પછી હવે ફરી નવી તારીખ ચર્ચામાં છે. સૂત્રો કહે છે કે, રણબીર અને આલિયા આ વર્ષે ઓક્ટોબરમાં લગ્ન કરી લેશે તેમના બંનેના પરિવારોમાં લગ્નની તૈયારી થઇ રહી છે.

આમ તો, આલિયા અને રણબીરના લગ્ન ગયા વર્ષે જ થવાના હતા. પરંતુ કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે લગ્ન લંબાઇ ગયા હતા. આ પછી એપ્રિલ મહિનામાં લગ્ન થવાની ચર્ચા હતી પરંતુ હવે એપ્રિલમાં પણ તેમના લગ્ન થવાના નથી. હવે એપ્રિલ મહિનાને આડે ફક્ત થોડા દિવસો જ હોવાથી બંનેના પરિવારમાં લગ્નની કોઇપણ તૈયારી થઇ નથી.

આ પ્રેમી યુગલના લગ્નની તારીખો વારંવાર કેમ બદલાયા કરે છે તે વાસ્તવિકતા કોઇ જાણીતું નથી. જ્યાં સુધી કપૂર ખાનદાનના ઘર કૃષ્ણા રાજના રિનોવેશનની વાત છે તો હજી આ ઘરને રહેવા લાયક થતાં ઓછામાં ઓછા ૧૮ મહિના નીકળી જશે.