1939માં પ્રિટોરિયામાં જન્મેલા અને ઘણા વર્ષો ઇસ્ટ આફ્રિકામાં રહ્યા બાદ હાલ લંડન ખાતે રહેતા જશોદાબેન (જસવંતીબેન) જયંતિલાલ જેઠવાનું તા. 18 માર્ચ 2022ના રોજ નિધન થયું હતું.

23 એપ્રિલ 1958ના રોજ તેમણે જયંતિલાલ જેઠવા સાથે લગ્ન કર્યા હતા અને 1972માં બાળકો અને પરિવાર સાથે યુકે આવ્યા હતા.

તેમના આત્માની શાંતિ અર્થે 24મી માર્ચના રોજ સાંજે 7થી 9 દરમિયાન કેન્ટન હોલ, GAA લંડન, વુડકોક હિલ, હેરો HA3 0PQ ખાતે ભજનનું આયોજન કરાયું છે. તેમના અંતિમ સંસ્કાર 28મી માર્ચના રોજ બપોરે 2 વાગ્યે વેસ્ટ હર્ટ્સ સ્મશાનગૃહ, હાઈ એલમ્સ લેન, ગાર્સ્ટન, WD25 0JS ખાતે કરાશે.

તેમના પતિ સ્વ. જયંતિલાલ યુકેમાં પરિવાર સાથે જોડાતા પહેલા આફ્રિકામાં બિઝનેસ કરતા હતા. જસવંતીબેન સ્થાનિક સમુદાયમાં આદરણીય હતા. તેમને સુંદર, ઉદાર અને સમર્પિત પત્ની, પુત્રવધૂ, માતા અને દાદી અને એક ખૂબ જ સારા મિત્ર તરીકે કાયમ યાદ કરાશે.