Alia Bhatt and Ranbir Kapoor became parents to a daughter
(Photo by STR/AFP via Getty Images)

બોલિવૂડ એક્ટર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. 13 એપ્રિલે કપૂર પરિવાર રણબીરના મુંબઈ ખાતેના બાંદ્રા સ્થિત ઘરે વાસ્તુમાં ગણેશ પૂજનની વિધિ થઈ હોવાનું માનવામાં આવે છે.. રણબીરની માતા નીતુ કપૂર, બહેન રિદ્ધિમા કપૂર સાહની જોવા મળી હતી. આ દરમિયાન નીતુએ પણ હાથ જોડીને પાપારાઝીનું અભિવાદન કર્યું હતું.

આ પછી આલિયા ભટ્ટની મહેંદી સેરેમની શરૂ થવાની છે. આ વિધિ મુંબઈના પાલી હિલ સ્થિત વાસ્તુ એપાર્ટમેન્ટમાં પૂર્ણ થવાની છે. હવે ઘરે બધા મહેમાનો આવવા લાગ્યા છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન પહેલા ફેન્સમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આલિયા-રણબીરના લગ્નમાં સંજય લીલા ભણસાલી, કરણ જોહર, વરુણ ધવન, અયાન મુખર્જી, અર્જુન કપૂર, મનીષ મલ્હોત્રા, ઝોયા અખ્તર, મસાબા ગુપ્તા અને આકાંક્ષા રંજન આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં હાજરી આપવાના છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં તેમના લગ્નની તારીખ વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને 17 એપ્રિલ પહેલા કોઈપણ દિવસે લગ્ન કરી શકે છે. આ સાથે જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું પ્રી-વેડિંગ ફંક્શન આજથી શરૂ થવા જઈ રહ્યું છે.