રાંચીથી દિલ્હી જઈ રહેલી રેડબર્ડ એરવેઝની એર એમ્બ્યુલન્સ ઝારખંડના ચતરાના સિમરિયા નજીક ક્રેશ થઈ ગઈ હતી, જેમાં બે ક્રૂ સભ્યો સહિત સાત મુસાફરોના મોત થયા હતાં. (ANI Video Grab)

ઝારખંડના રાંચીથી દિલ્હી જઈ રહેલી મેડિકલ એર એમ્બ્યુલન્સ સોમવારની સાંજે ચતરા જિલ્લામાં ગાઢ જંગલોમાં ક્રેશ થતાં તમામ સાત મુસાફરોના મોત થયા હતાં.

રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડના આ વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7.11 વાગ્યે ઉડાન ભરી હતી. 7.30 વાગ્યે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ સિમરિયા વિસ્તારના બરિયાતુમાં તે ક્રેશ થયું હતું.

આ દુર્ઘટનામાં કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાયલોટ-ઇન-કમાન્ડ), કેપ્ટન સવરાજદીપ સિંહ (સહ-પાયલોટ), સંજય કુમાર (41) – (સારવાર માટે લઈ જવામાં આવી રહ્યાં હતો તે દર્દી, ડૉ. વિકાસ કુમાર ગુપ્તા (ફિઝિશિયન) સચિન કુમાર મિશ્રા (પેરામેડિક) તથા અર્ચના દેવી અને ધુરુ કુમાર (દર્દીના સહાયકો)નો સમાવેશ થાય છે.

રાંચી એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારે પ્લેન ક્રેશ પાછળ ખરાબ વાતાવરણ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ખરાબ વાતાવરણના કારણે પાયલોટે રૂટ બદલવા વિનંતી કરી હતી. પાયલટે કોલકાતા ATCને રિક્વેસ્ટ કરી હતી. જોકે તે બાદ 7.34 વાગ્યે વિમાનનો સંપર્ક તૂટી ગયો. તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર સવાર હતા તે હેલિકોપ્ટર બારામતીમાં ક્રેશ થયું હતું. આ વધુ દુર્ઘટનાથી ભારતની એવિએશન સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઊભા થાય છે.

 

LEAVE A REPLY