કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે સોમવારે અમદાવાદમા ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. (PTI Photo)

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે સોમવારે અમદાવાદમા ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે માર્ગ મકાન પ્રધાન પૂર્ણેશ મોદી તેમજ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટ પરમાર, અમદાવાદ શહેર અને ગાંધીનગરના ધારાસભ્યો, ભૂતપૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાતેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રૂ. ૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36 કિલોમીટર લાંબો આ એલિવેટેડ કોરિડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ એલિવેટેડ કોરિડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતાનગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે.
​​​​​​​થલતેજ અંડરપાસથી સોલા રેલ્વે પુલ સુધી ૧.૪૮ કી.મી. લાંબો ફ્લાયઓવર પહેલાંથી કાર્યરત છે, હવે તૈયાર થયેલા ૨.૩૬૦ કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સીટી બોક્સ સુધીના એલિવેટેડ કોરિડોરને પરિણામે સળંગ ૪.૧૮ કીમી લંબાઇનો ફ્લાયઓવર કાર્યરત થશે.