Report of China building shelters in Ladakh, Congress attacks Modi government
Getty Images)

સીમા પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં એલઓસી નજીક પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં એક ભારતીય જવાન શહિદ થયાં છે. સુત્રો તરફથી પ્રાપ્ત થયેલ માહિતી પ્રમાણે પાકિસ્તાન તરફથી એલઓસી નજીક કૃષ્ણાઘાટી અને નૌશેરા સેક્ટરમાં મધ્યરાત્રીએ 3.30 વાગ્યે અચાનક સીઝફાયરનો ભંગ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન તરફથી થોડા સમય સુધી ગોળીબાર ચાલ્યો હતો જેમાં એક ભારતીય જવાન શહીદ થઈ ગયા છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર સવારે લગભગ 5.30 વાગ્યે ફરી એક વખત પાકિસ્તાન તરફીથી એલઓસી પર ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી સીઝફાયરનો ભંગ કરાતા તેમજ ફરીથી ગોળીબાર શરૂ થઈ જતા ભારતીય સેનાએ પણ તેમને જડબાતોડ જવાબ આપતા તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.