(Photo by STR/AFP via Getty Images)

ભજન સમ્રાટ અનુપ જલોટા ટુંક સમયમાં જ સત્ય સાંઇબાબાની બાયોપિકમાં જોવા મળવાના છે. આ ફિલ્મ આદ્યાત્મિક ગુરુ સત્ય સાંઇબાબા પર આધારિત હશે.અનુપ જલોટાના આ રોલવાળી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અનુપ જલોટાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ ૧૨ વરસના હતા ત્યારે સાંઇબાબાને મળ્યા હતા. હું ૫૫ વરસનો હતો ત્યારે સત્ય સાંઇ બાબાને મળ્યો હતો. લખનઉમાં મારી તેમની સાથે મુલાકાત હું ૧૨ વરસનો હતો ત્યારે થઇ હતી. એ દરમિયાન તેમણે મારા અને મારા પિતા દ્વારા ગાયેલા ભજનો સાંભળીને અમને આશીર્વાદ આપ્યા હતા. આ પછી હું તેમને મુંબઇ, દિલ્હી, બેંગલુરુ અને ઊંટીમાં પણ મળ્યો હતો.

વધુમાં ભજન સમ્રાટે જણાવ્યું હતું કે, લોકો સત્ય સાંઇબાબાને સારી રીતે ઓળખે છે. તેથી તેમના પર તેમનું પાત્ર ભજવવાની જવાબદારી અધિક છે. હું તેમના અનુયાયીઓમાંનો એક હોવાથી મને તેમના ઊઠવા-બેસવા-ચાલવાની પ્રક્રિયા તેમજ પોતાના અનુયાયીઓ સાથે વાત કરવાની સ્ટાઇલથી પણ હું પરિચિત છું. મને લાગે છે કે, આ રોલને હું ઉત્તમ રીતે ભજવી શકીશ.