(ANI Photo)

ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા અધિક માસ પ્રસંગે પ. પૂ. રાજરાજેશ્વર ગુરૂજીના સાન્નિધ્યમાં બાગેશ્વર સરકારની શ્રી રામ કથાનું આયોજન તા. 22થી તા. 28 જુલાઈ દરમિયાન રોજ બપોરે 3થી સાંજના 6:30 દરમિયાન શ્રી પ્રજાપતિ એસોસિએશન, (SPAL) 21 અલ્વરક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BY ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન તા. 22 અને 23 જુલાઇના રોજ સવારે 10 કલાક દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું લાઇવ ટેલિકાસ્ટ સંસ્કાર ટીવી ચેનલ – સ્કાય 725 પર કરવામાં આવશે. લંડનમાં પણ બાગેશ્વર સરકારના દિવ્ય દરબારનું આયોજન કરવા વિચારણા ચાલી રહી છે.

અધિક માસ શુભ મહિનો છે અને હિંદુ પરંપરાઓ અને માન્યતાઓ અનુસાર આ પવિત્ર અને દૈવી સમયગાળા દરમિયાન, ઘણા લોકો ‘અધિક માસ વ્રત’ કરે છે. સમગ્ર મહિના દરમિયાન ભક્તો માળા, જાપ, પ્રદક્ષિણા, શાસ્ત્રોક્ત વાંચન અને પારાયણ કરે છે. સંપર્ક: ફોન: 020 8426 0678

LEAVE A REPLY

thirteen + 16 =