(ANI Photo/ PIB)

દ્વારકામાં  આવેલા ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં  ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આ અંગેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિને શોભે તેવા વષો પહેરેલ હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંગે મંદિરના વહીવટીતંત્રે  અનેક ભાષામાં  મંદિરોમાં વિવિધ સ્થળે બેનર્સ લગાવ્યા છે.

યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રાળુઓને ભારતીય સંસ્કૃતિ અનુસાર વસ્ત્રો પહેરવા અંગે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વષો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિયમ છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની સૂચના આપી છે. શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

five × 5 =