(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

આ વર્ષની શરૂઆતમાં જાણવા મળ્યું હતું કે, મહેશ ભટ્ટની સફળ ફિલ્મ અર્થની રીમેકની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રેવતી કરશે તેવી વાત બહાર આવી હતી.

જોકે, પછી કોરોનાની બીજી લહેર આવતા એવું લાગતું હતું કે, આ પ્રોજેક્ટ અટકી પડયો છે. પરંતુ હવે આ ફિલ્મના નિર્માતા શરદ ચંદ્રાએ વાતની પુષ્ટી કરી છે કે, આ ફિલ્મનું દિગ્દર્શન રેવતી કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલ કરી રહ્યો છે.

કોરોના મહામારી અને સ્ક્રિપ્ટમાં થોડા ફેરફારના કારણે ફિલ્મના નિર્માણમાં મોડું થયું છે. મહેશ ભટ્ટ પણ અમે આ પ્રોજેક્ટમાં મદદ કરી રહ્યા છે. ફિલ્મ અર્થની વાર્તામાં એક અભિનેત્રીનો મહત્વપૂર્ણ રોલ રહ્યો છે. તેથી આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી કોણ છે એ વિશે પૂછતાં થોડા સમયમાં જ તેની જાહેરાત કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.