bivalent booster vaccine

કોવિડ-19ની રસીઓએ અસંખ્ય લોકોના જીવન બચાવ્યા છે અને આપણી જાતને અને આપણા પ્રિયજનોને કોવિડ-19 સામે સુરક્ષિત રાખવાની શ્રેષ્ઠ રીત તરીકે કોવિડ-19 બૂસ્ટર મેળવવા માટે વિવિધ ફેઇથ લીડર્સે લોકોને અપીલ કરી છે.

કેન્ટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બી, હિંદુ કાઉન્સિલ યુ.કે.ના જનરલ સેક્રેટરી શ્રી રજનીશ કશ્યપ, કાર્ડિનલ વિન્સેન્ટ નિકોલ્સ, વેસ્ટમિન્સ્ટરના આર્કબિશપ અને કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઈંગ્લેન્ડ અને વેલ્સ એફ્રાઈમ મિર્વિસ, કોમનવેલ્થના યુનાઈટેડ હીબ્રુ મંડળોના ચીફ રબ્બી, અલ-અબ્બાસ ઇસ્લામિક સેન્ટર, બર્મિંગહામના ઇમામ શેખ નુરુ મોહમ્મદ, ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા સાઉથોલના પ્રમુખ શ્રી ગુરમૈલ સિંઘ મહલી, જીસસ હાઉસના વરિષ્ઠ પાદરી પાદરી અગુ ઇરુકવુ વતી એક પત્ર લખીને એમપી અને મિનિસ્ટર ફોર ઇક્વાલીટીઝ એન્ડ લેવલીંગ અપ કેમી બડેનોચે સૌને બૂસ્ટર ડોઝ લેવા અપીલ કરી હતી.

કેમીએ જણાવ્યું હતું કે ‘’રસીકરણે છેલ્લા કેટલાક મહિનામાં સમુદાયોને એકસાથે લાવવામાં મદદ કરી છે. આધુનિક વિજ્ઞાનને પગલે પૂજા-અર્ચના કરવા માટે આપણા ધાર્મિક સ્થળોએ આપણે ભેગા થઈ શક્યા છીએ. ઓમિક્રોન વેરિઅન્ટના નામે નવો ખતરો ઝડપથી ફેલાતા યુકેના ચાર મુખ્ય તબીબી અધિકારીઓએ કોવિડ-19ના ચેતવણી સ્તરને વધારીને 4 કર્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે બૂસ્ટર જૅબ એ ખતરાનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. નવીનતમ ડેટા મુજબ ત્રીજો ડોઝ – બૂસ્ટર જેબ કોવિડ-19ને રોકવામાં ઓછામાં ઓછો 70 ટકા જેટલો અસરકારક છે. માટે મહત્વપૂર્ણ છે કે આપણે બધા ફરી એકવાર સાથે આવીએ અને આ રાષ્ટ્રીય મિશનમાં આપણો ભાગ ભજવવા માટે બૂસ્ટર જેબ મેળવીએ. અમે દરેકને વિનંતી કરીએ તમારા મિત્રો અને પરિવારજનો સાથે આગળ આવી NHS વેબસાઈટ અથવા કોલ નંબર 119 પર શક્ય તેટલી વહેલી તકે કૉલ કરીને રસી બુક કરાવો અને લોકોને તે માટે પ્રોત્સાહિત કરો.