(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
પીઢ અભિનેતા-નિર્માતા સ્વ. ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાન અને નતાશા માધવાનીનું લગ્નજીવન અત્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યું હોવાનું કહેવાય છે. 2005માં ફરદીન-નતાશાએ લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને દીકરી દિયાની અને દીકરા અઝારીસ છે. હવે 18 વર્ષ પછી તેઓ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાની તૈયારી કરી રહ્યા છે.
નતાશાએ 2013માં પુત્રીને અને 2017માં પુત્રને જન્મ આપ્યો હતો. મીડિયા રીપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ફરદીન અને નતાશા વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા છે. તેઓ છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. નતાશા બંને બાળકો સાથે લંડનમાં રહે છે, જ્યારે ફરદીન પોતાની માતા સાથે મુંબઈમાં રહે છે. ફરદીન અને નતાશા તરફથી છૂટાછેડાની અકટળો અંગે કોઈ સ્પષ્ટતા થઇ નથી, જેથી આ ચર્ચાને વ્યાપક વેગ મળ્યો છે. ફરદીન અને નતાશાને એક સમયે બોલિવૂડનું આદર્શ દંપતી માનવામાં આવતું હતું. નજીવા મતભેદ પછી તેમની વચ્ચેનું અંતર સતત વધી ગયું છે અને હવે તેમના માટે સાથે રહેવાનું અશક્ય હોય તેવું માનવામાં આવે છે.

ફરદીન ખાનના પિતા ફિરોઝ ખાન અને માતા વચ્ચે પણ છૂટાછેડા થયા હતા. 1985માં ફિરોઝ ખાને ફરદીનની માતા સાથે છૂટાછેડા લીધા હતા. રિતિકની પૂર્વ પત્ની સુઝાન ખાન અને ઝાયેદ ખાનના પિતા સંજય ખાન અને ફિરોઝ ખાન સગા ભાઈ હતા. જ્યારે નતાશાની માતા મુમતાઝ વીતેલા જમાનાની જાણીતી અભિનેત્રી છે. ફરદીન ખાનની છેલ્લી ફિલ્મ દુલ્હા મિલ ગયા 2010માં રજૂ થઈ હતી. ફરદીને પરિવાર સાથે રહેવા ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. હવે લાંબા સમય પછી તેનું ‘વિસ્ફોટ’થી પુનરાગમન થઇ રહ્યું છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, પ્રિયા બાપટ, ક્રિસ્ટલ ડિસોઝા મહત્ત્વના રોલમાં છે. સલમાન ખાન અને અનિલ કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ- એન્ટ્રીની સીક્વલમાં પણ ફરદીન જોવા મળે તેવી સંભાવનાઓ પણ છે.

LEAVE A REPLY

four × 1 =