(istockphoto.com)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વર્ષ 2019-2020 માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ અને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી કેન્દ્રના 30 લાખ નોન-ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે. દશેરા અગાઉ બોનસની આ રકમ એક જ હપ્તામાં ચુકવવામાં આવશે.

માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે બોનસ પાછળ રૂપિયા 3,737 કરોડ ખર્ચ કરવામાં આવશે. બોનસની ચુકવણી કર્મચારીઓના બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવશે.

બોનસનો લાભ રેલવે, પોસ્ટ ઓફિસ, EPFO અને ESICના 17 લાખ કર્મચારીનો મળશે. તેમને પ્રોવક્ટિવિટી લિંક્ડ બોનસ આપવામાં આવશે. અન્ય 13 લાખ કેન્દ્રીય કર્મચારીઓને નોન- પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ મળશે. સરકારનો આ નિર્ણય એટલા માટે મહત્વનો છે કારણ કે તહેવારોની સિઝનમાં લોકો વધારે ખર્ચ કરી શકે. સરકારનું કહેવું છે કે મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવવાથી બજારમાં માંગ વધશે અને અર્થતંત્રને ફાયદો થશે.