(ANI Photo/ ANI Picture Service)

ચાલુ વર્ષે ચાર ધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 39 શ્રદ્ધાળુઓના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના મહાનિર્દેશક ડૉ. શૈલજા ભટ્ટે જણાવ્યું કે, શ્રદ્વાળુઓના મૃત્યુનું કારણ હાઈ બ્લડ પ્રેશર, કાર્ડિયાક પ્રોબ્લેમ અને માઉન્ટેન સિકનેસ (ઊંચાઈ સંબંધિત સમસ્યા) છે. આ વર્ષે ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ થયાને માત્ર 13 દિવસ જ થયા છે, આવી સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોતને કારણે આરોગ્ય સેવાઓની સજ્જતા પણ પર સવાલો ઉઠી રહ્યા છે.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ આ ચાર ધામ યાત્રામાં ભક્તોના આ મૃત્યુને ગંભીરતાથી લીધી છે. મુખ્યપ્રધાનની સૂચનાને આધારે, રાજ્યના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જારી કરી અને મંદિરોમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને દરેક ધામમાં દર્શન માટે દૈનિક ભક્તોની મહત્તમ સંખ્યામાં એક હજારનો વધારો કર્યો. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી-ચારેય ધામોમાં – 2700 મીટરથી વધુની ઉંચાઈ પર સ્થિત – તીર્થયાત્રીઓ અતિશય ઠંડી, ઓછી ભેજ, ઓછા હવાના દબાણના સંપર્કમાં આવે છે. ઓક્સિજનની ઓછી માત્રા થી પ્રભાવિત થઈ શકે છે, તેથી તેઓએ તબીબી તપાસ પછી જ મુસાફરી કરવાની સલાહ આપવામે આવી છે.
આ સિવાય પહેલાથી જ બીમાર લોકોને તેમના ડૉક્ટરનો રિપોર્ટ, તેમની દવાઓ અને ડૉક્ટરનો ફોન નંબર તેમની સાથે રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે અન્ય બીમારી જેમા હૃદયરોગ, શ્વસન સંબંધી રોગ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શનના દર્દીઓને ઊંચાઈવાળા વિસ્તારોમાં જતી વખતે ખાસ કાળજી રાખવા જણાવાયું છે. આ સિવાય, તીર્થયાત્રીઓને મંદિર સુધી પહોંચતા પહેલા માર્ગમાં એક દિવસનો આરામ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.