હાલ નોર્થવૂડ/રિકમન્સવર્થ ખાતે રહેતા અને મૂળ જિન્જાના વતની તથા વેલજી ભોવન એન્ડ સન્સ લિમિટેડ (વીબી એન્ડ સન્સ)ના નામથી ગ્રોસરી સ્ટોર્સ ધરાવતા શ્રી ચુનીલાલ વેલજી નથવાણીનું 87 વર્ષની વયે સોમવાર, તા. 25 સપ્ટેમ્બર 2023ના રોજ સાંજે તેમના પ્રેમાળ પરિવારની ઉપસ્થિતીમાં નિધન થયું હતું.

તેઓ પત્ની ઈન્દુબેન પુત્ર કિરણ, પરેન અને ભાઇઓ ચંદુભાઈ, નટુભાઈ, મહેન્દ્રભાઈ, મનહરભાઈ અને બહેનો સ્વ. કંચનબેન પાબારી અને મંજુબેન રાયકુંડલિયા સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.

સ્વર્ગસ્થના આત્માની શાંતિ આર્થે તા. 28 સપ્ટેમ્બર 2023ના રોજ ધર્મ ભક્તિ મનોર, શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર ખાતે એક શોક સભા તથા 1 ઓક્ટેબરના રોજ પ્રાથર્ના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમના અંતિમ સંસ્કાર મંગળવાર 3 ઓક્ટોબર 2023ના રોજ ચિલ્ટર્ન ક્રિમેટોરિયમ, મિલ્ટન ચેપલ, વ્હીલ્ડન લેન, એમરશમ, HP7 0ND ખાતે બપોરે 3:15થી કરવામાં આવ્યું છે. સંપર્ક: કિરણ નથવાણી – 07903 940 783 અને પરેન નથવાણી – 07904 106 166.

LEAVE A REPLY

fourteen − six =