નવનિયુક્ત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વામિનારાયણ ભગવાનના સાતમા વંશજ નરનારાયણ દેવ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજની શનિવારે શુભેચ્છા મુલાકાત કરી હતી. અમદાવાદ સ્થિત કૌશલેન્દ્રજી મહારાજના નિવાસસ્થાને મુખ્યપ્રધાને મુલાકાત કરી હતી‌. પૂજ્ય કૌશલેન્દ્રજી મહારાજે ભુપેન્દ્રભાઈ પટેલને દીર્ધાયુ અને સફળનેતૃત્વ ના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા શ્રી વજેન્દ્રપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ બાદ મુખ્યપ્રધાને ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લઈને દર્શન કર્યા હતા અને નીલકંઠ વર્ણી અભિષેક કર્યો હતો. ઉપસ્થિત સંતોએ તેમને આશીર્વાદ આપ્યા હતા.