istockphoto

અમેરિકાના સેન્ટર ઓફ ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ ચેતવણી આપી છે કે છ ફૂટનુ અંતર રાખવા છતા પણ કોરોનાનુ સંક્રમણ લાગવાની શક્યતાઓ હોય છે.

સીડીસીએ કોરોનાને લઈને બહાર પાડેલી નવી ગાઈડલાઈન પ્રમાણે કોરોના વાયરસ હવામાં કેટલીક સેકન્ડ માટે અથવા તો કલાકો સુધી રહી શકે છે. આ વાયરસ 6 ફૂટ સુધી ટ્રાવેલ કરી શકે છે.જે ના કારણે એક બીજાથી છ ફૂટનુ અંતર રાખવુ પણ સલામત તો નથી જ. કોરોના સંક્રમિત વ્યક્તિઓ પોતાના શ્વાસ થકી વાયરસને ફેલાવી શકે છે, જે વાયરસ છ ફૂટ દુર ઉભેલા વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં.

આ પહેલા જાપાનના સંશોધકો પણ એક નવો દાવો કરી ચુક્યા છે કે, કોરોના વાયરસ માનવીની ત્વચા પર નવ કલાક સુધી જીવતો રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોનાનુ સંક્રમણ અટકવાના કોઈ ઉપાય મળી રહ્યા નથી ત્યારે આ અહેવાલ આવ્યા છે.