યુકેમાં સોમવારે નવા કોરોનાવાયરસને જાહેર આરોગ્ય માટે એક ગંભીર જોખમ જણાવી સરકારને વાયરસના ફેલાવા સામે લડવાની વધારાની સત્તાઓ આપી હતી. અત્યાર સુધીમાં યુકેમાં કોરોનાવાયરસના વધુ ચાર કેસ નોંધાતા કેસની કુલ સંખ્યા આઠ થઇ છે. જે બ્રિટિશ નાગરિકો ચીનના વુહાનથી પાછા ફર્યા છે, તેમને 14 દિવસ અલગ રખાશે. સેક્રેટરી ઓફ ધ સ્ટેટે જણાવ્યું હતું કે, ‘આ વાયરસનો ચેપ વધુ લોકોને અસર કરતો રોકવા સરકારે અસરકારક પગલા લેવાનુ નક્કી કર્યુ છે અને કોરોનાવાયરસ હોવાના શંકાસ્પદ તમામ દર્દીઓને ફરજિયાત અલગ રખાશે.
બ્રાઇટનમાં આ સપ્તાહના અંતે ત્રણ પુરુષો અને એક મહિલા સહિત વધુ ચાર દર્દીઓ હોવાનું નિદાન થતા તેમને સારવાર માટે લંડનની નિષ્ણાત હોસ્પિટલમાં લઈ જવાયા હતા આ બધા દર્દીઓ બ્રાઇટનના એક બિઝનેસમેનના ‘જાણીતા સંપર્કો’ હતા જે બિઝનેસમેન ગયા શુક્રવારે યુકેના ત્રીજો કેસ બન્યા હતા. જેમને ગાય્સ અને સેન્ટ થોમસ અને લંડનની રોયલ ફ્રી હોસ્પિટલના ચેપી રોગોના વોર્ડમાં અલાયદા રાખવામાં આવ્યા છે. ત્યાં વાયરસ વધુ ફેલાતો અટકાવવા મજબૂત ચેપ નિયંત્રણ પગલાં લેવાઇ રહ્યા છે.
બ્રિટિશ ગેસ એનાલિટિક્સ કંપની સર્વોમેક્સ દ્વારા સિંગાપોર ખાતે આયોજીત બિઝનેસ કોન્ફરન્સમાં ગયેલા બ્રાઇટનના આધેડ બિઝનેસમેનને ચેપ લાગ્યો હતો. તે પછી તેઓ 28 જાન્યુઆરીએ ઇઝિ જેટ ફ્લાઇટમાં બ્રિટન પરત ફરતા પહેલા લેસ કોન્ટામિન્સ-મોંટજોઇ, ફ્રાન્સ ખાતે આવેલા સ્કી ચેલેટની મુલાકાત લીધી હતી. તેમની સાથે સ્કી ચેલેટમાં રહેતા પાંચ બ્રિટિશ નાગરીકોને ચેપ લાગ્યો હોવાનુ બહાર આવ્યું છે. હવે તે નયનરમ્ય શહેરના સેંકડો રહેવાસીઓની તપાસ થઇ રહી છે.
ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વિટ્ટીએ જણાવ્યું હતું કે ‘ઇંગ્લેન્ડમાં વધુ ચાર દર્દીઓ નોવેલ કોરોના વાયરસ માટે પોઝીટીવ જણાયા હતા. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના નિષ્ણાંતો યુકેના દર્દીઓ સાથે સંપર્કમાં આવનાર લોકોને શોધી કાઢવા સતત મહેનત કરી રહ્યા છે અને તેમણે સફળતાપૂર્વક આ વ્યક્તિઓની ઓળખ કરી ખાતરી આપી છે કે તેમને યોગ્ય માર્ગદર્શન અને સારવાર અપાય છે. એનએચએસ આ કેસોનું સંચાલન કરવા અને તેમની સારવાર માટે અત્યંત સારી રીતે તૈયાર છે.
મિનિસ્ટર્સે ઘોષણા કરી હતી કે 40,000થી વધુને ચેપ લગાડનારા અને 1000થી લોકોના મોત માટે જવાબદાર કોરોનાવાયરસ બ્રિટિશ જનતા માટે ‘ગંભીર અને નજીકનો’ ખતરો છે. અત્યારે વીર્રલની એરો પાર્ક હોસ્પિટલમાં