બોરિસ જ્હોન્સન (Photo by Christopher Furlong/Getty Images)

વડા પ્રધાન બોરિસ જોન્સને ઘરે રહીને કોવિડની બીમારીને દૂર કરવાનું વચન આપતાં મંગળવારે સાંજે ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે જાહેરાત કરી હતી કે ‘’ઓટમ સુધીમાં કોવિડની સારવાર માટે આશાસ્પદ નવી દવાઓ શોધવા માટે નવા એન્ટીવાઇરલ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. એવી આશા છે કે લોકો વાયરસની સારવાર કરવા ઘરે ગોળી કે ટેબ્લેટ લઇને સાજા થઇ શકશે. આ ટાસ્કફોર્સ કોવિડની સારવાર માટે ટેબ્લેટની શોધ કરવા અને તેને ખરીદવાનું લક્ષ્ય રાખશે. આ દવાઓ ભવિષ્યમાં ચેપના વધારા સામે વધુ મહત્વપૂર્ણ સંરક્ષણ આપી શકે છે અને વધુ જીવન બચાવી શકે છે.’’

કોવિડ ગંભીર થાય તે પહેલા જ લોકો ઘરે ગોળીઓ લઇ શકશે જેથી હોસ્પિટલમાં બેડની જરૂરિયાત ઘટશે. સરકારી સ્ટાફ, યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને ફાર્માસ્યુટિકલ કંપનીના નિષ્ણાંતો આ પેનલ પર રહેશે. ત્યાં સુધીમાં મોટાભાગના લોકોને રસી આપવામાં આવશે પરંતુ દવાઓ સ્થાનિક પ્રકોપ અને કેસોમાં સ્ક્વોશ સ્પાઇક્સને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

નિષ્ણાતો ઓછામાં ઓછા બે ઉપચાર શોધી રહ્યા છે જેથી લોકોને આ વર્ષના અંત સુધીમાં તેમના ઘરે સારવાર પહોંચતી કરી શકાય. વૈજ્ઞાનિકો ‘નોવેલ એન્ટિવાયરલ ડ્રગ્સ’ શોધવા માટે પ્રતિબદ્ધ છે અને તેને ઉનાળા દરમિયાન ક્લિનિકલ ટ્રાયલ્સ માટે મૂકવામાં આવે છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે, ‘આપણા પ્રિયજનોને આ ભયંકર વાયરસથી બચાવવા માટે દવાઓ એક મહત્વપૂર્ણ શસ્ત્ર છે. હવે અમે એક નવી ટીમ સાથે લાવી રહ્યા છીએ જે એન્ટિવાયરલ સારવારની શોધને સુપરચાર્જ કરશે અને ઓટમમાં તે બહાર આવશે.’

બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સ ઉમેર્યું હતું કે ‘ટેબ્લેટના સ્વરૂપમાં એન્ટિવાયરલ્સ એ પ્રતિભાવ માટેનું બીજું મુખ્ય સાધન છે

એનએચએસ ઇંગ્લેન્ડનાં ડૉ. નિક્કી કાનાણીએ જણાવ્યું હતું ‘’વેક્સીન લેનાર લોકોની રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં વંશીય લઘુમતીઓનાં લોકોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. ટાસ્કફોર્સ એ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે સૌથી વધુ આશાસ્પદ એન્ટિવાયરલ જલ્દીથી લોકો માટે ઉપલબ્ધ હોય.’’