ભારતના સુરક્ષા દળો જમ્મુના નાગરોટા ટોલ પ્લાઝા ખાતેના એન્કાઉન્ટર સ્થળની તપાસ કરી રહ્યા છે. (PTI Photo)

જમ્મુ કશ્મીરના સુરક્ષા દળોએ ગુરુવારે વહેલી સવારે ચાર ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. રાજ્યના નગરોટા વિસ્તારમાં વાહનોની તપાસ લેવાતી હતી ત્યારે એક ટ્રકમાં છૂપાઇને જઇ રહેલા ત્રાસવાદીઓ ઝડપાયા હતા. જો કે ત્રાસવાદીોએ છટકી જવા માટે સુરક્ષાદળો પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ વળતો ગોળીબાર કરીને ચાર પાકિસ્તાની ત્રાસવાદીને ઠાર કર્યા હતા અને ટ્રકમાંથી વિપુલ પ્રમાણમાં વિસ્ફોટકો કબજે કર્યા હતા.

આતંકવાદીઓ ટ્રકમાં આવવાના હોવાની બાતમી હોવાથી હાઇવેના પર સુરક્ષા દળોએ ચાંપતી નજર રાખી હતી. દરેક વાહનની તપાસ થતી હતી. સુરક્ષા દળોને જોઇને ત્રાસવાદીઓએ આડેધડ ગોળીબાર શરૂ કર્યા હતા અને ટ્રકમાંથી કૂદી પડીને નાસી જવાના પ્રયાસો પણ કર્યા હતા.