આલ્કોહોલિક બેવરેજ કંપની પેર્નોડ રિકાર્ડ ઇન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA)ના અમલીકરણ પછી આયાતી દારૂના ભાવમાં ઘટાડો થવાથી મોટાભાગના રાજ્યોમાં છૂટક ભાવમાં ઘટાડો થશે.આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા વેપાર કરાર હેઠળ, ભારત યુકેની વ્હિસ્કી અને જિન પરની ડ્યુટી 150 ટકાથી ઘટાડીને 75 ટકા કરશે, અને દસમા વર્ષ સુધીમાં 40 ટકા કરશે.
યુકે-ભારત FTAને “ઉદ્યોગ અને ગ્રાહકો બંને માટે એક સકારાત્મક પગલું” ગણાવતા પેર્નોડ રિકાર્ડ ઇન્ડિયા (PRI)એ જણાવ્યું હતું કે તે દેશમાં પ્રીમિયમ સ્કોચ વ્હિસ્કીના વ્યાપમાં વધારો કરશે. નોંધનીય છે કે FTAથી પ્રીમિયમ સ્કોચ વ્હિસ્કીને વધુ સ્પર્ધાત્મક કિંમત આપીને તેની વ્યાપમાં સુધારો થશે તેવી અપેક્ષા છે. બોટલ્ડ-ઇન ઓરિજિન પ્રોડક્ટ્સ પર આયાત ડ્યુટીમાં ઘટાડો થવાથી મોટાભાગના રાજ્યોમાં છૂટક ભાવમાં ઘટાડો થશે.
PRI ફ્રેન્ચ સ્પિરિટ્સ ઉત્પાદક પેર્નોડ રિકાર્ડની પેટાકંપની છે. તે વેચાણની દ્રષ્ટિએ ભારતીય બજારમાં મોખરાનું સ્થાન ધરાવે છે, બીજા ક્રમે ડિયાજિયો આવે છે, જે યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડની માલિકી ધરાવે છે.
