(ANI Photo)
ભારતભરમાં અત્યારે ગણેશોત્સવનો માહોલ છે. ભગવાન ગણપતિની આરાધનામાં જનસામાન્યની સાથે બોલીવૂડની અને ટીવીની વિવિધ સેલિબ્રિટિઝ પણ જોડાઇ છે. ગણેશ ચતુર્થીએ મુંબઇમાં અનેક ફિલ્મકારો અને ટીવી કલાકારોએ પોતાના ઘરમાં ખૂબ જ ધામધૂમથી ગણપતિ બાપ્પાની પધરામણી કરાવી હતી.
બોલીવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયામાં પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાના સ્વાગતના ફોટો પોસ્ટ કર્યા હતા, જેમાં તેમણે ચાહકોને પોતાના ઘરે બાપ્પાના આગમનની ઝલક બતાવી છે અને ભગવાનના સ્થાનને શણગારવા માટે ખાસ્સી મહેનત કરી છે તેવું પણ જોવા મળે છે. આ ઉપરાંત મુંબઇમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાન-એન્ટિલિયા ખાતે પણ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાનનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉજવણીમાં બોલીવૂડની ઘણી સેલિબ્રિટિઝ ઉપસ્થિત રહી હતી. વાજતે-ગાજતે ગણેશ સ્થાપન સાથે શરૂ થયેલા મહોત્સવને પાણીમાં ભગવાનની મૂર્તિના વિસર્જન પછી વિરામ મળશે.

LEAVE A REPLY

four × 2 =