અમદાવાદના કાલુપુરમાં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો ફાઇલ ફોટો (istockphoto.com)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તહેવાર નિમિત્તે જાહેર રસ્તા પર રહેલા લારી ગલ્લા, ફેરિયા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. હાટડી, મંડપ, લારીમાં ફુટપાથ, ખુલ્લી જગ્યામાં કે ડોમ બાંધીને કપડા વેચતા વેપારીઓ માટે ખાસ ગાઇડલાઇન બહાર પડાઇ છે.કોરોના સંબંધિત નવા નિયમો મુજબ ડોમ બાંધીને વેપાર કરતા વેપારીઓએ પ્રવેશ દ્વારા પર સેનિટાઇઝર અને થર્મલ ગન રાખવાની રહેશે. હાથલારીમાં કપડા વેચતા ફેરિયાઓએ ગ્લોવ્ઝ પહેરવાના રહેશે.

ફેરિયાઓ અને સ્ટાફે દર 15 દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. વિવિધ પ્રકારના કપડાને સાઇઝ અનુસાર અલગ અલગ પેકિંગમાં જ રાખવાના રહેશે. ગ્રાહકોની ભીડ વધે તો લાઇન બનાવી વેચાણ કરવાનું રહેશે. વેપારીઓ અને લારીમાં વેચાણ કરતા કે ડોમ બનાવી વેચાણ કરતા કપડા હવે ખુલ્લામાં વેચી નહી શકાય. પરંતુ કપડા પાર્સલ કરીને આપવાના રહેશે.ગ્રાહકો માલ સામાનને સ્પર્શી શકશે નહી. ગ્રાહક ટ્રાયલ પણ નહી કરી શકે. પેન્ટ, શર્ટ, ટી શર્ટ કે અન્ય કોઇ પણ પ્રકારના કપડા ખુલ્લા વેચાણ કરવા નહી. ગ્રાહક એક સાથે બે ભેગા થઇ શકશે નહી. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ ખુબ જ જરૂરી રહેશે.