પ્રતિક તસવીર (PTI Photo)

ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. રાજ્યમાં ગુરુવારે નવા વિક્રમજનક 8,152 કેસ નોંધાયા હતા અને 81 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 5,000ને વટાવી ગયો હતો. અમદાવાદમાં 27, સુરતમાં 25, રાજકોટમાં 8 અને વડોદરામાં 6ના વ્યક્તિના મોત થયા હતા.

સરકારે ગુરુવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ છેલ્લાં 24 કલાકમાં 3023 દર્દીએ કોરોનાને મહાત આપી હતી. રાજ્યનો કુલ મૃત્યુઆંક 5076એ પહોંચ્યો હતા. કોરોનાનો રિક્વરી રેટ 86.86 ટકા થયો હતો. રાજ્યમાં હાલ 44,298 એક્ટિવ કેસ છે, જેમાંથી 267 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 44031 દર્દીની હાલત સ્થિર છે.

ગુરુવારે અમદાવાદમાં 2,672 અને સુરતમાં 1,864 નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત રાજકોટમાં 762, વડોદરામાં 486, જામનગરમાં 309, ભાવનગરમાં 170, ગાંધીનગરમાં 129, જૂનાગઢમાં 107 નવા કેસ નોંધાયા હતા.