Getty Images)

રાજ્યમાં કોરોના મહામારી સતત વધી રહી છે. દરરોજ 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 2 દિવસથી તો 800થી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 40,155 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 2024એ પહોંચ્યો છે. અને 28,183 દર્દી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં નવા 875 કેસ નોંધાયા છે અને 14ના મોત થયા છે. તેમજ 441 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 4 જુલાઈથી 10 જુલાઈ સુધીમાં એટલે કે 7 દિવસમાં જ 5,469 કેસ નોંધાયા છે અને 118 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 3,242 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

સુરતમાં 269, અમદાવાદમાં 165, ભાવનગરમાં 71, વડોદરામાં 69, રાજકોટમાં 39, ગાંધીનગરમાં 31, નવસારી 27, સુરેન્દ્રનગર-જામનગરમાં 23-23, મહેસાણામાં 21, જૂનાગઢમાં 18, ખેડામાં 17, બનાસકાંઠા-ભરૂચમાં 14-14, ગીર-સોમનાથમાં 11, દાહોદ-સાબરકાંઠામાં 8-8, આણંદ-પંચમહાલમાં 7-7,મોરબી-વલસાડમાં 5-5, છોટાઉદેપુર, કચ્છ-પાટણમાં 4-4, અમરેલી-તાપીમાં 3-3, અરવલ્લી-બોટાદમાં 2-2 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુની વાત કરીએ તો અમદાવાદમાં 5, સુરતમાં 4, અરવલ્લી, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણામાં 1-1 મળીને કુલ 14ના મોત થયા છે.