Getty Images)

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 820916 સુધી પહોંચી ગયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 27114 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ભારત દેશ દુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે. જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 62.78 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 19873 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 515386 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 519 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 22123 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 283407 એક્ટિવ કેસ છે.મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 238461 કેસ નોંધાયા છે જ્યારે 9893 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 130261 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 1829 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 109140 કેસ નોંધાયા છે જ્યારે 3300 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 40157 લોકો સંક્રમણમાં આવ્યા છે 2024 લોકોના મોત થયા છે.