પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતમાં પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા

વિધાનસભાની 8 બેઠકો માટે ત્રણ નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે રવિવારે પ્રચાર પડઘમ શાંત થયા હતા. રવિવારે સાંજ 5 વાગ્યા બાદ આચારસંહિતાના પગલે જોરશોરથી પ્રચાર બંધ થયો હતો. હવે ડોર ટુ ડોર ઉમેદવારો-કાર્યકરો પ્રચાર કરશે તેમજ ખાટલા બેઠકો શરૂ થશે.પેટા ચૂંટણી આડે હવે બે જ દિવસ રહ્યા છે તેથી ઉમેદવારોની ચિંતા વધી છે. રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.