ભારતમાં મુંબઇમાં આંતકવાદી હુમલા માટે જવાબદાર એવા ટોચના આતંકી હાફિઝ સઈદને પાકિસ્તાનમાં 31 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે હાફિઝને આ જેલની સજા સાથે રૂ. 3.40 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ટેરર ફંડિંગના બે કેસમાં કોર્ટે તેને સજા સંભળાવી છે.
જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદને યુનાઇટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાએ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઇનામ પણ રાખ્યું છે. હાફિઝ સઈદ વર્ષ 2008ના મુંબઈ આતંકી હુમલામાં મોસ્ટ વોન્ટેડ આતંકી છે, જેમાં 166 લોકો માર્યા ગયા હતા. જુલાઈ, 2019માં જ્યારે તે લાહોરથી ગુજરાનવાલા જઈ રહ્યો હતો ત્યારે કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.