સમગ્ર વિશ્વમાં તાજેતરમાં ઈન્ટરનેશનલ હેપીનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન એક ખાનગી સંસ્થા દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, ભારતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ઘો સૌથી વધુ ખુશ છે. જયારે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ ખુશ છે. આ સાથે યુવાનો પણ ખુશ છે. પરંતુ દેશમાં ૩૫ થી ૪૮ વર્ષની વયજૂથના પુરુષો નાખુશ છે. એકંદરે, ૫૨ ટકા લોકોએ કહ્યું કે તેઓ ખુશ છે અને તેમની પાસે જરૂરી બધું છે.
એક કન્સલ્ટિંગ એજન્સી દ્વારા તમામ ૨૮ રાજયો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨૦,૦૭૩ લોકોના સર્વેક્ષણમાં આ પરિણામો આવ્યા છે. આ મુજબ, ૭૭% લોકો જે કામ કરી રહ્યા છે તે કરતા રહેવા માંગે છે. ૬૮% લોકોએ કહ્યું- તેમના સંબંધો મજબૂત છે. ૬૪% લોકોએ કહ્યું કે તેઓનો લક્ષ્યાંક નક્કી છે. ૬૭% લોકો એવા છે જે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. ૭૦% લોકોએ કહ્યું- લોકોને તેમનામાં વિશ્વાસ છે. જો કે ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધુ સંતુષ્ટ અને ખુશ છે, જયારે ૩૬-૪૫ વર્ષની વયના લોકો એક અથવા બીજી વસ્તુના દબાણ હેઠળ જીવે છે.
આ સર્વે અનુસાર દેશનો સ્કોર ૬.૮૪ છે. અહીં ૮૭.૮% માને છે કે મુશ્કેલીના સમયે લોકોની મદદ મળશે તો, ૮૩.૧% લોકો કહે છે કે તેમની પાસે તેમનું કામ પસંદ કરવાની સ્વતંત્રતા છે. ૪૩.૨% લોકો માને છે કે સરકાર અને બિઝનેસમાં ભ્રષ્ટાચાર છે. ૭૦.૫% લોકો જીવનમાં આનંદ, હાસ્ય અને આનંદ અનુભવે છે. તો બીજી તરફ ૩૨.૯% એવા લોકો છે જેઓ વારંવાર અથવા દરરોજ ચિંતા, ઉદાસી અને ગુસ્સાનો સામનો કરે છે.
હેપીનેસ મામલે રાજયોની વાત કરીએ તો દેશમાં હિમાચલ પ્રદેશ સૌથી વધુ ખુશ અને સંતુષ્ટ છે. બીજી તરફ પંજાબ ત્રીજા નંબરે ઉત્ત્।રાખંડ. ચંડીગઢ ચોથા નંબરે છે. ૩૬ રાજયોની યાદીમાં યુપી સૌથી નીચે છે અને મધ્યપ્રદેશ તેનાથી ઉપર એટલે કે ૩૫મા ક્રમે છે. હકારાત્મક, નકારાત્મક લાગણીઓ, સામાજિક સમર્થન, પસંદગીની સ્વતંત્રતા, ઉદારતા, ભ્રષ્ટાચાર સહિત રાજયોને આરોગ્ય સૂચકાંક, માથાદીઠ આવક, સાક્ષરતા દર વગેરેના આધારે હેપીનેસ ઇન્ડેકસ નક્કી કરવામાં આવ્યો હતો.